પૂરગ્રસ્ત વિસ્તારમાં બજરંગદળના કાર્યકરો મેદાનમાં ઉતર્યા, ઘરે ઘરે દૂધ સહિતની સામગ્રી પહોંચાડી
25-Jun-2025
સુરત,તા.૨૫: શહેરમાં ધોધમાર વરસાદને પગલે વિતેલા બે દિવસથી ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા ત્યારે સરથાણા વિસ્તારમાં બજરંગદળના કાર્યકરો દ્વારા લોકોને દુધ તેમજ જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી.
અનેક વિસ્તારમાં પાણી ભરાયા
વરસાદી પાણી ભરાવા સાથે ગટરના પાણી પણ ઉભરાતા સરથાણા સહિત અનેક વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાયા હતા. બજરંગદળના કાર્યકરો દ્વારા મંગળવારે સરથાણા વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં દુધ તેમજ જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું
સુરત મહાનગરમાં ભારે વરસાદના કારણે પુરના જેવી સ્થિતિ સર્જાઈ છે, સરથાણા વિસ્તારમાં ડો. પ્રવિણભાઇ તોગડિયાજીનું સંગઠન રાષ્ટ્રીય બજરંગદળની સંસ્થા આવી મેદાન પર આવી હતી. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ ખાડી પુરની સમસ્યા જોવા મળે. જેમાની એક સરથાણા વિસ્તારમાં વાલમ નગર, આદર્શ નગરની આજુબાજુ વિસ્તારમાં ડો. પ્રવિણભાઇ તોગડિયાજીનું સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ મેદાન પર આવ્યું હતું. પુરના પાણી પાણી ઉતર્યા અને સ્થાનીક લોકો જરુયાતમંદ ખાધ્ય સામગ્રીઓ વિતરણ કરી નાના બાળકો માટે દુધ ધરે ધરે પહોંચાડી મદદ કરી હતી.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
24-Jun-2025