ઉમરા-વેલંજા રોડ ચમકશે, સુરત મહાનગર પાલિકા ₹1.60 કરોડના ખર્ચે એલઇડી લાઈટિંગ કરશે

22-May-2025

સુરતઃ સરથાણા ઝોન વિસ્તારમાં આવેલા ગોથાણ રેલવે બ્રિજથી રંગોલી ચોકડી થઈ શહેરના હદ વિસ્તાર સુધીના 5.50 કિમીના રસ્તાને કાર્પેટ, રિ-કાર્પેટ કરી કાયાપલટ કરાશે, જેની પાછળ અંદાજે રૂપિયા 31.93 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. ત્યારે વધુ 1.60 કરોડના ખર્ચે વધુ એક સુવિધા મળવા જઇ રહી છે. જેમાં હાઇવે પર બંને તરફના રસ્તાને લઈને એલઈડી લાઇટ નાખવાનું કામ આગામી 30મીની સામાન્ય સભામાં અંતિમ મંજૂરી માટે મુકાશે.

દુખિયાના દરબાર રોડને પહોળો કરવો જરુરી

હાલ દુખિયાના દરબાર પર રસ્તો સાંકડો હોવાથી લોકોને મોટા વરાછામાંથી આવવામાં બહુ તકલીફ પડી રહી છે. આગામી સમયમાં આ રસ્તાને પહોળો કરવામાં નહીં આવે તો સમસ્યા વધુ વકરવાની શક્યતા છે.

સુરત: શહેરના પૂર્વ વિસ્તારની યાત્રા વધુ સલામત અને પ્રકાશમય બનાવવા સુરત મહાનગર પાલિકા દ્વારા ઉમરા-વેલંજા રોડ પર આધુનિક એલઇડી લાઈટિંગ સુવિધા સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. આ યોજનાની અંદાજિત ખર્ચ રકમ રૂ. 1.60 કરોડ છે.

ઉમરા અને વેલંજા વચ્ચેનો માર્ગ છેલ્લા કેટલાક સમયથી અંધારપટ્ટામાં હોવાના કારણે વાહનચાલકો અને રાહદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને રાત્રિ સમયે અકસ્માતની શક્યતાઓ વધી જતી હતી. હાલ પાલિકા દ્વારા તમામ તકનીકી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સામાન્ય સભામાં મંજૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થવાની શક્યતા છે.

પાલિકા અધિકારીઓએ જણાવ્યુ હતું કે, નવો એલઇડી લાઈટિંગ પ્રોજેક્ટ માત્ર ઉજાસ માટે નહિ પણ વીજ બચત અને રખે શહેરી સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. એલઇડી લાઇટ્સ એનર્જી એફિશિયન્ટ હોવા ઉપરાંત દિરઘાયુ અને મેઈન્ટેનન્સ ફ્રી હોય છે, જેના કારણે લાંબા ગાળે ખર્ચમાં પણ બચત થશે.

ઉલ્લેખનીય છે કે ઉમરા-વેલંજા વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વિકાસ પામી રહ્યો છે અને નવો ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમાં વધુ મૂલ્યવર્ધન કરશે. સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોએ પાલિકા દ્વારા લેવામાં આવેલા નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં વધુ એવી વિકાસયોજનાઓ વિસ્તારો સુધી પહોંચશે.


અડાજણ, કતારગામ, સરથાણા, મોટા વરાછાના લોકોને મોટો લાભ

પાલ-અડાજણ, જહાંગીરપુરા, કતારગામ, સરથાણા, રાંદેર, વિસ્તારના લોકોને મોટો લાભ થશે. સરથાણા, કતારગામ અને રાંદેર એમ 3 ઝોનને સાંકળતા રસ્તાનું નિર્માણ કરાશે. ખાસ કરીને કઠોર, વેલંજા, અબ્રામા, ઉમરા સહિતના નવા સમાવાયેલા વિસ્તારોના લોકોને મોટો લાભ થશે. ઘણા સમયથી આ રસ્તો બનાવવા માટે માંગ થતી હતી પરંતુ આ પટ્ટો આર એન્ડ બી ખાતામાં આવતો હોવાથી કામગીરી આગળ વધતી ન હતી. પાલિકાને પઝેશન અપાયું ન હોવાથી મોડું થયું હતું. સરથાણા ઝોનના કાર્યપાલક ઇજનેર સતિષ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય ધોરીમાર્ગ ગોથાણ રેલવે બ્રિજથી રંગોલી ચોકડી થઈ પાલિકાની હદ સુધી 60 મીટર પહોળાઈના ડી.પી. રોડ પૈકી હાલ 30 મીટર પહોળાઈમાં રસ્તાનું કારપેટ, રિ-કાર્પેટ કરાશે.

 

પાલિકાને પઝેશન મોડેથી મળતાં કામગીરી લંબાઈ

આર એન્ડ બી અને પાલિકા વચ્ચે લાંબા સમયથી લેટરવોર, સરથાણા વિસ્તારમાં આવતા ઘણા ગામો માટે આ રોડ ઘણો જ ઉપયોગી સાબિત થાય તેમ છે પરંતુ ઘણા વખતથી ગ્રામજનોની રોડ બનાવવાની માંગ હતી પરંતુ રાજ્ય ધોરીમાર્ગ ગોથાણ આરઓબીથી રંગોલી ચોકડી રસ્તા નો કબજો આર એન્ડ બી વિભાગ પાસે હતો, આર એન્ડ બી વિભાગ પાસેથી પઝેશન મળતું ન હોય પાલિકાના સરથાણા ઝોન દ્વારા આ ડીપી રોડ બનાવવા અંગેની કામગીરી આગળ ધપી શકી ન હતી.

 

વધુ સુવિધાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર!

(૧) સુરત-કામરેજ રોડ: શ્યામધામ મંદિર સરથાણા જંક્શન પર નવું ફલાયઓવર બ્રિજ તેમજ (૨) નેશનલ હાઇવે થી હજીરા રોડ: વેલંજા રંગોલી ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ મંજૂર થવા પર માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્યશ્રી પાનસેરીયાએ માહિતી આપતા જણાવ્યું હતું.

Author : Gujaratenews